દુબઈ જતા હોય તો ખાસ વાંચો: UAE જતા પ્રવાસીઓને ભારતીય એમ્બેસીની ચેતવણી
- 20 Apr, 2024
ભારતીય એમ્બેસીએ યુએઈમાં આવતા ભારતના પ્રવાસીઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. એમ્બેસીએ જણાવ્યું છે કે અહીંની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભારતીયોએ તેમની ખૂબ જ મહત્વની ન હોય તેવી યુએઈની મુસાફરીને ટાળવી જોઈએ અને મુસાફરીના કાર્યક્રમમાં ફેરફાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે દુબઈમાં કૃત્રિમ વરસાદ પડતા પુર આવ્યું છે.
હાલ યુએઈ તાજેતરમાં આવેલા પુરમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ અઠવાડિયામાં આવેલા પુરના કારણે દુબઈ અને તેની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. એમ્બેસીએ જણાવ્યું હતું કે હાલ યુએઈના સત્તાવાળાઓ સ્થિતિ સામાન્ય બને તે માટે રાત-દિવસ કામ કરી રહ્યાં છે. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે પેસેન્જર્સે જે તે એરલાઈન્સ પાસેથી ફ્લાઈટ્સની ઉપડવાની તારીખ અને સમયને કન્ફોર્મ કરીને જ એરપોર્ટ પર આવવું.
ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિના પગલે હાલ યુએઈ એરપોર્ટ પર ખૂબ જ મર્યાદિત ફ્લાઈટ્સ આવી રહી છે. દુબઈનું એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે અને આ એરપોર્ટ 24 કલાકમાં જ તેનું સામાન્ય ઓપરેશન શરૂ કરે તેવું લાગી રહ્યું છે. યુએઈમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને તકલીફ ન પડે તે ભારતના દુબઈ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ 17 એપ્રિલથી ઈમરજન્સી હેલ્પલાઈન નંબર્સ શરૂ કર્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ